💐પરિવાર💝 એટલે માત્ર એક જ છત નીચે રહેતા લોકો નહીં, પરંતુ એકબીજાના સુખ-દુઃખમાં સાથ આપતું જીવતું સંબંધનું મંદિર.🛕🛕
પરિવાર એટલે માત્ર એક જ છત નીચે રહેતા લોકો નહીં, પરંતુ એકબીજાના સુખ-દુઃખમાં સાથ આપતું જીવતું સંબંધનું મંદિર. જ્યાં બધા ભાઈ-બહેનો હળીમળી રહે, એકબીજાની તકલીફને પોતાની તકલીફ માને અને ખુશીને બમણી કરે. રોજ થોડો સમય કાઢીને બધા એક સાથે બેસે, દિવસ દરમિયાન કરેલા કામની ચર્ચા કરે, આવનારા ભવિષ્ય વિશે વિચારે, અને પ્રેમથી એકબીજાને માર્ગદર્શન આપે – એ જ સાચો પરિવાર.
આજના સમયમાં મોબાઈલ, ટીવી અને સોશિયલ મીડિયા વચ્ચે સંબંધો દૂર થતા જાય છે, પરંતુ જ્યારે નાના બાળકોથી લઈને ઘરના વડીલો સુધી બધા એકસાથે બેસે, હાસ્ય-મજાક કરે, વાતો કરે, અને પ્રેમથી સમય પસાર કરે – ત્યારે ઘરમાં સુખ, શાંતિ અને સ્નેહનો માહોલ બની જાય છે.પરિવારની સાચી સંપત્તિ પૈસા નથી, પરંતુ એકબીજાનો સમય, લાગણી અને વિશ્વાસ છે.
💝પરિવારોને તોડવાનું મુખ્ય દુઃસણ કાનભંભેરણી અને દ્વેષનું રૂપી મોટું પાપ છે🤞
પરિવારને તોડતી સૌથી મોટી વસ્તુ છે – કાનભંભેરણી, ઈર્ષા અને દ્વેષ. જ્યારે કોઈ એક સભ્ય બીજા વિશે ખોટી વાતો કરે, મનમાં શંકા ઊભી કરે અથવા ભાઈને ભાઈથી અલગ પાડવાનો પ્રયાસ કરે – ત્યારે તે માત્ર સંબંધ નહીં, પરંતુ વિશ્વાસનો પણ નાશ કરે છે.
પરિવારને અલગ કરવા થતી પ્રવૃતિ શાસ્ત્રો મુજબ –“પારકી નિંદા, ભાઈમાં ભેદ પાડવો અને ખોટી વાત ફેલાવવી – મહાપાપ સમાન છે.”આવા કર્મોથી ઘરમાં અશાંતિ આવે છે, મન દુઃખી થાય છે અને પરિવારની એકતા તૂટી જાય છે.ઈર્ષા અને દ્વેષથી ક્યારેય સુખ મળતું નથી; તે માત્ર મનને અશાંત અને જીવનને દુઃખી બનાવે છે.
સાચો પરિવાર કેવો હોવો જોઈએ સાચા પરિવારમાં દરેક સભ્ય સ્વતંત્ર હોય છે, કોઈએ કોઈ પાસેથી લેવું-દેવું જરૂરી નથી. માત્ર એકબીજાની હૂંફ, સ્નેહ અને સહારો જ જોઈએ.પરંતુ આજકાલ કેટલીક જગ્યાએ એવું જોવા મળે છે કે થોડા લોકો મળીને બીજા સભ્યને નીચું બતાવવા પ્રયત્ન કરે છે, “હું મોટો – તે નાનો” એવો અહંકાર રાખે છે, તેની સાથે વાતચીત બંધ કરે છે.જો કોઈ સભ્ય પ્રેમથી વાત કરે, બીજાની મદદ કરે અથવા તેની કાળજી રાખે – તો પણ કેટલાક લોકોને તે ગમતું નથી. પછી તેના વિશે ખોટી વાતો કરીને તેને પરિવારથી અલગ કરવાની કોશિશ થાય છે.
💐જીવમાં ખુબજ રદ રાખવા જેવી બાબત 🤞
પરિવાર તોડવો સરળ છે, બનાવવો ખૂબ મુશ્કેલ છે.પરિવાર માટે દિલને સ્પર્શે એવો સંદેશએક દિવસ પૈસા, સંપત્તિ અને મોટાપો બધું અહીં જ રહી જશે.અંતે યાદ રહેશે તો માત્ર –કોણે પ્રેમ આપ્યો, કોણે સાથ આપ્યો, અને કોણે દિલ દુભાવ્યું.જ્યારે વડીલોની આંખોમાં આંસુ આવે, ભાઈ ભાઈથી દૂર થઈ જાય, અને ઘરમાં શાંતિના બદલે સન્નાટો છવાઈ જાય – ત્યારે સમજવું કે આપણે ક્યાંક ભૂલ કરી છે.
💐આવો બધા સાથે રહી એક સંકલ્પ કરીએ 🤞👍
ક્યારેય કાનભંભેરણી નહીં કરીએ કોઈ વિશે ખોટું નહીં બોલીએ
ઈર્ષા અને દ્વેષ છોડીને પ્રેમ વધારીએ દરરોજ થોડો સમય પરિવાર સાથે પસાર કરીએ
કારણ કે…
ઘર દિવાલોથી નહીં, દિલોથી બને છે.પરિવાર સંબંધોથી નહીં, લાગણીઓથી જીવતો રહે છે.જો પરિવાર એક રહેશે, તો દરેક મુશ્કેલી નાની લાગશે.અને જો પરિવાર તૂટી જશે તો મોટા મહેલમાં પણ માણસ એકલો જ રહેશે. ચાલો, પરિવારને જોડીએ…
કારણ કે ..........એક દિવસ જ્યારે બધાં સાથે હસતા જોવા મળશે,
ત્યારે આંખોમાંથી આંસુ આવશે –પણ તે દુઃખના નહીં,પ્રેમ અને કૃતજ્ઞતાના હશે.👍🤞🌹❤️🛕
No comments:
Post a Comment