Showing posts with label પાવાગઢ મહાકાળી માતા. Show all posts
Showing posts with label પાવાગઢ મહાકાળી માતા. Show all posts

Thursday, June 1, 2023

Pavagadh | pavagadh ropeway ticket rate | પાવાગઢ મહાકાળી માતા


પાવાગઢ  મહાકાળી હાજરા  હજર બિરાજમાન છે
ગુજરાતના પંચમહાલ જિલ્લાના હાલોલથી લગભગ  તેર કિલોમીટર દૂર પાવાગઢ યાત્રાધામ આવેલું છે. ત્યાં ભગવતી મહાકાળી હાજરાહજૂર બિરાજમાન છે. આ સ્થળને ગુજરાતની ત્રણ શક્તિપીઠમાંથી એક શક્તિપીઠ ગણવામાં આવે છે. 

પાવાગઢ શા માટે પ્રખ્યાત છે?
   પાવાગઢ પ્રાચીન મહાકાળી મંદિર માટે પ્રસિદ્ધ છે, જે હજારો   ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે અને આ જગ્યા એ એક પુરાતત્વીય ઉદ્યાન છે,  યુનેસ્કો દ્વારા   પાવાગઢ ને  2004 માં વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે   જાહેર કરેલ છે   

                                                             Archaeological park image

   ચાંપાનેર પાવાગઢનો ગ્રામ્ય વિસ્તાર 2004 માં "યુનેસ્કો" ના વિશ્વ ધરોહર સ્થળની યાદીમાં સ્થાન પામેલો છે.

પાવાગઢ નો ઇતિહાસ 

     પાવાગઢના સૌથી ઉચ્ચ શિખર પર જગત જનની મા કાલિકા દેવી મહાશક્તિ સ્વરૂપે બિરાજમાન છે ભારતના 51 શક્તિપીઠોમાં સામેલ પાવાગઢમાં આદ્યશક્તિ મહાકાળીનું મંદિર આવેલ   છે . પ્રાચીનસમય માં મહર્ષિ વિશ્વામિત્રએ અહીં મહાકાળીમાતા ની આરાધના કરી હતી . દેવી પુરાણ અનુસાર ભગવતી સતીના પિતા અને ભગવાન શિવના સસરા  દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં શિવનું અપમાન સહન નહીં થતાં સતી માતાએ યોગબળ દ્વારા પ્રાણત્યાગ કર્યો હતો . આથી  વ્યથિત ભગવાન  શિવશંકરે સતીના મૃત શરીરને લઈને તાંડવ કરતાં કરતાં ધરતી ધ્રુજવા લાગી હતી . ધરતીની રક્ષા માટે ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર દ્વારા સતીના દેહના ટુકડા કર્યા હતા કહેવાય છે કે દેવીના શરીરના ૫૧ ટુકડા થયેલ જેમાં  એક ટુકડો ગુજરાતના પંચમહાલ જિલ્લાના હલોલ તાલુક માં આવેલ પાવાગઢ પર્વત પર પડ્યો હતો. કહેવાય છે આ મંદિર ભગવાન શ્રીરામના સમયનું છે . દરરોજ સવારે ચૂંદડી અર્પણ કરીને આરતી પૂજા થાય છે

       પાવાગઢ મહાકાળી માં ના ધામમાં આસો અને ચૈત્રી નવરાત્રિનું અનેરું મહત્ત્વ છે . નવરાત્રિમાં નવેનવ દિવસ માતાજીના સુંદર શણગાર કરવામાં આવે છે . વહેલી સવારે  છ વાગ્યા ના મંદિરના નિજદ્વાર ખોલવામાં આવે છે ત્યાર બાદ માતાજીને ચુંદડી - સાડી પહેરાવી  સુંદર શણગાર કરી  માં ની  આરતી પૂજા કરાય છે . બપોરે માતાજીને થાળ ધરાવાય છે અને સાંજે આરતી બાદ દ્વાર બંધ થાય છે સુખડીના પ્રસાદ માટે નવી વ્યવસ્થા મહાકાળી માતાના મંદિરે આવતા માઇ ભક્તો માટે માતાજીને ધરાવેલ ખાસ સુખડીનો પ્રસાદ તૈયાર કરાવાય છે . સુખડી બનાવવા ઘઉંનો લોટ , ગોળ અને ગાયના ચોખ્ખા ઘીનો ઉપયોગ કરાય છે . 

એક દંતકથા મુજબ 

    પાવાગઢ  વિશે એક દંતકથા  છે કે ચાંપાનેર ઉપર ચંપા ભીલનું રાજ્ય હતું. ઘણા વર્ષો પહેલા પાવાગઢ -ચાપાનેરના  પંથકમાં પતય કુળના રાજા રાજ્ય કરતા હતા. તેઓ મહાકાળી  માતાજીન  પરમ ઉપાસક ભક્ત હતા અને તેમની અપાર  ભક્તિથી પ્રસન્ન થઈ મહાકલી કાલકા માતા દર નવરાત્રિના નવ દિવસ ચાંપાનેર  ગરબા રમવા આવતા હતા. પતય કુળના છેલ્લા શાસક એવા રાજા જયસિંહ કે જેઓએ એકવાર નવરાત્રિ દિવસોમાં મદિરાપાન કર્યું અને તે સમયે માં ભગવતી મહાકાળી રૂપ બદલી ગરબે રમતા હતા તે સમયે  માતાજીને જોઇ તેમના રૂપથી મોહિત થઇ પતાઈ રાજાએ  માતાજીનો પાલવ પકડી રાણી બનવા કહ્યું. માતાજીના ઘણું સમજાવ્યા બાદ પણ પતય રાજા જયસિંહે પોતાની જીદ છોડી નહી, તેથી માતાજીએ કોપાયમાન થઇ  પોતાનું અસલ સ્વરૂપ ધારણ કરી પતાઈ રાજાને શ્રાપ આપ્યો કે આવતા છ મહિનામાં તારું સામ્રાજ્ય નષ્ટ થઇ જશે. પતય રાજા જયસિંહને મહોમદ બેગડે  હરાવી ચાપાનેર જીતી લીધું અને ત્યાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું.

500 વર્ષ બાદ માતાજીના મંદિરે લહેરાતી ધજા 


   18  જુન 2022 ઇતિહાસ માં પાવાગઢ અને ગુજરાત માટે ઐતિહાસિક ક્ષણ છે, આજે 500 વર્ષ બાદ માતાજીના મંદિરની ઉપર ધજા લહેરાઈ રહી છે. PM મોદીના હસ્તે ધજારોહણ કરવામાં આવ્યું છે ત્યારે માતાજીના ભક્તોને આજે અનેરો આનંદની લાગણી અનુભવાઈ રહી છે પાવાગઢની ટોચ પર માતાજીના મંદિરનો સંપૂર્ણ કાયાકલ્પ કરવામાં આવ્યો છે. ગર્ભગૃહને બાદ કરતા આખું મંદિર નવેસરથી બનાવવામાં આવ્યું છે. અગાઉ મંદિરની પાછળ દરગાહ હતી જેને સમજાવટથી સર્વસંમતિ સાથે ખસેડવામાં આવી હતી. મુખ્ય મંદિર અને ચોકને વિશાળ બનાવતાં 2000 લોકો સાથે દર્શન કરી શકશે. માંચીથી રોપવે અપરસ્ટેશન સુધી 2200 પગથિયાં બનાવવામાં આવ્યાં છે. જ્યારે અપર સ્ટેશનથી દુધિયા તળાવ સુધી 500 નવા પગથિયાં બનાવવામાં આવ્યાં છે.

       પાવાગઢમાં માતાજીના મંદિરનું શિખર સદીઓથી ખંડિત હાલતમાં હતું અને    શાસ્ત્રોક  અનુસાર ખંડિત શિખરની ઉપર ધજા ચડાવી શકાય નહીં. જોકે હવે નવા મંદિરમાં ખૂબ જ ભવ્ય શિખર તૈયાર કરવામાં આવ્યું છે. પાવાગઢમાં માતાજીના મંદિરની ઉપર જ એક દરગાહ આવેલ હતી જેના કારણે સદીઓથી ત્યાં શિખર બની શક્યું નહોતું. આ વિવાદ કોર્ટમાં પણ ગયો હતો, જોકે હવે વિવાદનો સુખદ અંત આવ્યો છે. 

પાવાગઢ  જવા માટે :=🧍‍♂️

પાવાગઢ વડોદરા થી  વડોદરાથી હાલોલ જતા હાઇવે  પર અંદાજે ૪૬ કિ.મી ના અંતરે આવેલ છે. વડોદરાથી બસ અથવા પોતાના વાહનથી તમે પાવાગઢ પહોંચી શકો છો. મહાકાળી મંદિર જવા માટે પાવાગઢની તળેટીથી માંચી સુધી જવું પડે તેના માટે પણ ખાનગી અને સરકારી બસ GSRTCની સુવિધા ઉપલબ્ધ છે.

સરકારી બસ GSRTCની સુવિધા ઉપલબ્ધ છે.

અહીં ઉપર ચઢવા માટે પગથિયાંવાળો માર્ગ તેમજ રોપ વે ની પણ સગવડ છે. ૧૫૦૦ની આસપાસના આ પગથિયાં એકાદ કલાકમાં ચઢી શકાય છે

રોપ વે છેક મંદિર પરિસર સુધી પહોંચાડશે
   હાલ પાવાગઢ ખાતે માંચીથી પ્રથમ 350 પગથિયાં સુધી રોપ વે સુવિધા ઉપલબ્ધ છે, જેને કારણે યાત્રિકો માત્ર 7.5 મિનિટમાં જ 350 પગથિયાં સુધીનું અંતર કાપીને દૂધિયા તળાવ સુધી પહોંચે છે

યાત્રાધામ પાવાગઢમાં રોપ-વેમાંથી ઉતર્યા બાદ

મંદિર ટ્રસ્ટ દ્વારા છાસિયા તળાવથી મંદિર પરિસર સુધી પહોંચવા માટે લિફ્ટના નિર્માણનું આયોજન કરવામાં આવ્યું છે.

*  જોવાલાયક સ્થળો :: 🙋

પાવાગઢમાં ફરવા માટેના વિવિધ સ્થળો છે જે પ્રવાસનો યાદગાર અનુભવ કરાવે છે.

1.પાવાગઢ જૈન મંદિર: પાવાગઢ પર્વત પર દુધિયા તળાવની નજીક આ મંદિર આવેલું છે. આશરે ૧૪ થી ૧૫ મી સદી માં બાંધવા માં આવેલ છે.

2.પતાય રાવલનો મહેલ: માંચી પાસે રાવલ મહેલ આવેલો છે, જે ચાંપાનેર ના હેરિટેજ સ્થાપત્યો માં સ્થાન પામેલ છે .
  • તેલિયું તળાવ અને દુધિયું તળાવ: પાવાગઢ પર્વત પર ચડતા વચ્ચે આ તળાવો આવેલા છે 
  • ધાબા ડુંગરી શિવ મંદિર:

                                    

gધાબા ડુંગરી શિવ મંદિર: આ શિવ મંદિર હાલોલથી પાવાગઢ જવાના રસ્તે આવેલ છે. જે મહર્ષિ વિશ્વામિત્રની તપોભૂમિ તરીકે પણ જાણીતી છે.

  • વિરાસત વન



  • વડ તળાવ અને કબૂતર ખાન: પાવાગઢની તળેટી માં આવેલા છે
  • અમદાવાદ થી પાવાગઢ  લગભગ 155 કિ.મી.છે.